ગૌતમ કુંડ
શિહોર , ભાવનગર
એક લોકમાન્યતા મુજબ આ શહેર પ્રાચીન છે એમાં પેલા ગૌતમ ઋષિ રહેતા હતા તેઓ તપસ્વી જીવન ગાળતા હતા અને રોજ શિવ પૂજન કરતા તેમના સમય માં ગોતમી નદી પર કુંડ બનાવવા માં આવ્યો જે 'ગૌતમ કુંડ' નામે ઓળખાય છે .
પાસે જ ગોતમેશ્વેર મહાદેવ નું મંદિર છે શિહોર માં ગોતમેશ્વેર મહાદેવ અને કુંડ જાણીતા છે.
બ્રહ્મ કુંડ
શિહોર જિલ્લો ભાવનગર
એક પ્રાચીન સ્થળ છે. તેનો 'સિંહ પુર ' તરીકે પણ ઉલ્લેખ થયેલો છે.
શિહોર ના આ પ્રદેશ ના ના જળ નો ઘણો પ્રભાવ ગણાતો કહે છે કે સિદ્ધરાજ જય સિંહ ને રાણકદેવી ના શ્રાપ થઈ કોઢ ફૂટી નીકળેલો .સિદ્ધરાજ એક વખત શિહોર પાસેથી પસાર થતો હતો ત્યારે અહીં નુ પાણી પીવા થી તેને પોતાના કોઢ માં સુધારો થાયાં નું જણાયું આથી એણે પોતાનો મુકામ થોડો લંબાવ્યો ફાયદો થયા નું ચોક્કસ થતાં એને એ પાણીવાળા સ્નાન ના કામ માં લીધુંઆથી તેનો કોઢ સંપૂર્ણ દૂર થયો આથી આ જગ્યા ને અલોકીક ગણી સિદ્ધ રાજે ત્યાં કુંડ નું નિર્માણ કર્યું, તેને'બ્રહ્મકુંડ' કહે છે .
આ 'બ્રહ્મકુંડ' ચોખંડો અને વીશાળ છેતેની ચારે તરફ સુંદર મૂર્તિ ઓ મુકેલી છે ચારે બાજુ પગથિયા છે.
તેના ચમત્કારીક પાણી નો સ્કન્દપુરાણ માં ઉલ્લેખ છે શ્રી ન્હાનાલાલ કવિ પોતાના 'હરિસંહિતા' નામક મહાકાવ્ય માં શ્રી કૃષ્ણ ભગવાન અહીં આવ્યા નું જણાવે છે .
'આઈને અકબરી 'તથા 'મેરુતુંગ રચિત'પ્રબંધ ચિંતામણી'માં પણ આનો ઉલ્લેખ છે એટલે સિદ્ધરાજે તેનો જીણોદ્ધાર કરાવ્યો હોઈ તેમ બની શકે.
Comments
Post a Comment