Skip to main content

૧૯૫૭ની મહત્વની જાણકારી

 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ


1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનીખરી શરૂઆત 10 મે, 1857ના રોજ એટલે કે આજના દિવસે થઈ હતી

1857નો સંગ્રામ રાજકીય, વહીવટી, આર્થિક શોષણ, સામાજિક અને ધાર્મિક, લશ્કરી તથા અન્ય

તાત્કાલીક કારણોના કારણે થયો હતો. કારણ કે બ્રિટિશ નીતિઓ સામે લોકોમાં ભારે અસંતોષ હતો.

આ સંગ્રામનું તાત્કાલીક કારણ સૈન્યમાં એનલ્ડિ રાઈફલની રજૂઆત હતી, જેના કારતુસ કથિત રીતે

માસ અને ડુક્કરની ચરબીથી બનેલા હતા અને કારતુસ ચલાવવા માટે તેને મો થી ખોલવું પડતું હતું

આનાથી હિન્દુઓ અને મુસ્લિમો બંનેની ધાર્મિક લાગણી દુભાય હતી. આથી બ્રિટિશ શાસન

સામે બળવો કરવાની ફરજ પડી.

આ સંગ્રામ માટે 31 મે ની તારીખ નક્કી થઈ હતી પરંતુ તેની શરૂઆત 10 મે થી જ થઈ હતી.

1857ના સંગ્રામનું પ્રતિક રોટી અને કમળ હતું તથા આ સંગ્રામને સેનિકોના બળવા તરીકે પણ

ઓળખવામાં આવે છે.

આ વિપ્લવના પ્રથમ શહિદ મંગલ પાંડે હતા.


સંસદનું પ્રથમ સત્ર


13 મે ભારતીય સંસદના ઇતિહાસમાં મહત્વનો દિવસ છે. કારણકે સંસદનું પ્રથમ સત્ર 13 મે,1952ના રોજ બોલાવવામાં આવ્યું હતું.

3 એપ્રિલ,1952ના રોજ રાજ્યસભાની રચના કરવામાં આવી હતી અને તેનું પ્રથમ સત્ર 13 મે 1952ના રોજ યોજાયું હતું.

એજ રીતે, 17 એપ્રિલ, 1952ના રોજ લોકસભાની રચના આવી હતી. અને તેનું પ્રથમ સત્ર 13 મે, 1952ના રોજ યોજાયું હતું.

ભારતીય બંધારણના અનુચ્છેદ -80માં રાજ્યસભા અને અનુચ્છેદ -81માંલોકસભા રચના અંગેની જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્યસભા સંસદનું ઉપલું ગૃહ છે જ્યારે લોકસભા સંસદનું નીચલું ગૃહ છે.

ભારતમાં સંસદીય શાસન વ્યવસ્થા બ્રિટનની સંસદીય વ્યવસ્થાથી પ્રભાવિત છે.

ભારતીય સંસદના ત્રણ અંગો રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા છે.


❄️પાંચ પવિત્ર સરોવર❄️ 


📌માનસરોવર  તિબેટ (ચાઇના)

📌બિંદુ સરોવર  સિદ્ધપુર (ગુજરાત)

📌 નારાયણ સરોવર  કચ્છ (ગુજરાત)

📌પંપા સરોવર  હમ્પી (કર્ણાટક)

📌પુષ્કર સરોવર  અજમેર (રાજસ્થાન)


Comments

Popular posts from this blog

વન વિભાગ ગુજરાત ભરતી

DownloadPdf Newupdates Marugujarat Whatsapp Group

ITBP સહાયક કમાન્ડન્ટ ભરતી 2022

DownloadPdf Newupdates Marugujarat Whatsapp Group

પ્રાદેશિક નગરપાલિકામાં આવી ભરતીની જાહેરાત

  અમદાવાદ સત્તાવાર જાહેરાત વડોદરા સત્તાવાર જાહેરાત રાજકોટ સત્તાવાર જાહેરાત lass="buttonInfo"> DownloadPdf