1.ગુજરાતના આદિવાસીઓના આદિમ જૂથમાં સૌથી ઓછી વસતિ કયા જૂથની છે ?
✔️ સીદી
2.હિન્દુ ધર્મના 16 સંસ્કારમાંથી કયા ત્રણ સંસ્કાર બાળકના જન્મ પહેલાં સંકળાયેલ છે ?
✔️ ગર્ભાધાન, પુંસવન,અને શ્રીમંત
3.સોલંકી કાળનાં મંદિરો કઈ શૈલીનાં છે ?
✔️ મારુ- ગુર્જર
4.પાટણની રાણકી વાવ કેવા પ્રકારની છે ?
✔️ જયા
5.કઈ મસ્જિદ અમદાવાદનું રત્ન ગણાય છે ?
✔️ રાણી સિપ્રીની મસ્જિદ
6.અમદાવાદની કી ઇમારત બાદશાહનો હજીરો તરીકે ઓળખાય છે ?
✔️ અહમદશાહનો રોજો
7.આઝમ-મુઆઝમખાંનો રોજો કયા શહેરમાં આવેલો છે ?
✔️ અમદાવાદ
8.ગુજરાતનો સૌથી પ્રાચીન પાળિયો કયો ગણાય છે ?
✔️ અજયપાળનો પાળિયો
9.સોરાષ્ટ્રના કાઠીઓના પાળિયા કયા નામે ઓળખાય છે ?
✔️ શૂરાપૂરા
10. ઘડતર વગરના પથ્થરોને ઊભા કરી તેના માથે સિંદૂર ચોપડી બનાવેલ પાળિયાને શું કહે છે ?
✔️ ઠેસ
11.લાખા ફુલાણીનો પાળિયો ક્યાં આવેલ છે ?
✔️ આટકોટ
12. અવગતે ગયેલ વ્યક્તિની ખાંભીને શું કહે છે ?
✔️સુરધન
13.ઇકત એટલે શું ?
✔️વણાટ
14.અભિનવ દર્પણ ગ્રંથની રચના કોણે કરી છે ?
✔️ નંદીકેશ્વર
15.માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર કોને ગણી શકાય ?
✔️ કુંભાર નો ચાકડો
16.નાટ્યકલાનો પ્રાણ શું છે ?
✔️અભિનય
17.બૈજુ બાવરા અને તાનસેનના ગુરુનું નામ શું છે ?
✔️સ્વામી હરિદાસ
18.કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે ?
✔️નગીનાવાડી
19.કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે ?
✔️નાટ્યસંપદા
20.કુદરતી રંગો દ્વારા તૈયાર થતા અને દુર્લભ કલાત્મકતા ધરાવતા પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે?
✔️ પાટણ
21.કુમાર ગાંધર્વ એવૉર્ડ કયા રાજયની સરકાર આપે છે?
✔️ ગુજરાત
22.કુમારપાળે કોની પ્રેરણાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો?
✔️હેમચંદ્રાચાર્ય
23. કૃષ્ણમિત્ર સુદામાનું એકમાત્ર મંદિર કયાં આવેલું છે ?
✔️ પોરબંદર
24.કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હૉસ્પિટલ પ્રોજેકટનું નામ શું છે?
✔️સંજીવની રથ
25. કેળવણીકાર નાનાભાઇ ભટ્ટે સ્થાપેલી લોકભારતી-સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે ?
✔️ભાવનગર
26. ખંભાતનું પૌરાણિક નામ શું છે?
✔️સ્તંભતીર્થ
Comments
Post a Comment