Skip to main content

રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ

 ❄️રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ❄️


ભારતના કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા ભારતમાં દર વર્ષ11 મેના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ભારતમાં વૈજ્ઞાનિક અને ટેકનોલોજી ક્ષેત્રે થયેલી વિવિધ શોધોની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.


11 મેના રોજ આ દિવસ શા માટે ઉજવાય છે?

11 મે, 1998ના રોજ ભારતે રાજસ્થાનના પોખરણ ખાતેથી “ઓપરેશન શક્તિ” અંતર્ગત પરમાણું અથવા ન્યુકિલઅર બોમ્બનું સફળ પરીક્ષણ ક્યું હતું.

11 મે 1998ના રોજ ભારતના પ્રથમ સ્વદેશી એરક્રાફટ 'હંસા-૩'નું બેંગ્લર ખાતે સફળ પરીક્ષણ કર્યુ હતું.

11 મે 1998ના રોજ ભારતે ત્રિશુલ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ હતું.

આથી આ દિવસની યાદમાં ભારતમાં દર વર્ષે 11 મે ના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવે છે.


🙏મધર્સ ડે🙏


સમગ્ર વિશ્વના વિવિધ દેશોમાં ‘મધર્સ ડેની ઉજવણી જુદા-જુદા દિવસે થાય છે.

જોકે, ભારત સહિત વિશ્વના મોટા ભાગના દેશોમાં મે માસના બીજા રવિવારે મધર્સ ડે' ઉજવાય છે.

આ અંતર્ગત વર્ષ 2021માં ભારતમાં 9 મે ના રોજ એટલે કે આજના દિવસે “મધર્સ ડે"ની ઉજવણી કરવામાં આવી છે.

આધુનિક “મધર્સ ડે'ની સૌપ્રથમ વખત ઉજવણી ઈ.સ. 1908માં સુશ્રી એના જર્વિસ દ્વારા અમેરિકાના વેસ્ટ વર્જિનિયાના ગ્રાફટન ખાતે આવેલા એક ચર્ચમાં કરવામાં આવી હતી.

આ ઉપરાંત તેમણે “મધર્સ ડે ઈન્ટરનેશનલ'ની પણ સ્થાપના કરી હતી.

સમગ્ર વિશ્વમાં પ્રત્યેક પરિવારોમાં માતાનું સન્માન થાય અને તેમનું સ્વાભિમાન જળવાઈ રહે તે માટે “મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે.


🏆વિશ્વ રેડક્રોસ દિવસ🏆 


સમગ્ર વિશ્વમાં દર વર્ષે મે ના રોજ વિશ્વ રેડક્રોસ દિવસ (World Red Crpss Day)

તરીકે ઉજવણી કરવામાં આવે છે.

એક મહાન માનવપ્રેમી જેમણે કોઈપણ ભેદભાવ વિના પીડિત માંનવીની સેવા કરવાનો વિચાર

આપનાર અને રેડક્રોસ અભિયાનની સ્થાપના શ્રી જીન હેનરી યુનેન્ટનો જન્મ 8 મે 1828ના રોજ થયો હતો.

તેમનો જન્મદિવસ 8 મે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ રેડક્રોસ ડે તરીકે ઉજવવામાં આવે છે.

 વર્તમાન સમયમાં વિશ્વમાં 186 દેશોમાં રેડક્રોસ સોસાયટી કાર્યરત છે.

વર્ષ 1901માં હેનરી ડ્યુટને માનવ સેવાના કાર્ય બદલ નોબેલ પુરસ્કાર મળ્યો હતો.

રેડક્રોસનો મુખ્ય ઉદ્દેશ માનવ જીવનના સ્વાથ્યને બચાવવાનો છે.

તેમનું મુખ્ય મથક સ્વિર્ઝલેન્ડના જીનેવા ખાતે આવેલું છે.

Comments

Popular posts from this blog

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘા...

રાષ્ટ્ર ગાન, રાષ્ટ્રીય ગીત અને જનરલ નોલેજ

 ✔️રાષ્ટ્રીય ગીત✔️ ✔️બંકિમચંદ્વ ચટ્ટોપાધ્યાય ની આનંદમઠ નામની બંગાળી નવલકથામાથી લેવામાં આવેલ ✔️ સોેપ્રથમ 1986માં રાષ્ટ્રીય ક્રોગ્રેંસના  ૧૨માં કલકત્તા અધિવેશન માં ગવાયુ હતુ       જેની અવધિ 65 સેકન્ડ છે ✔️રાષ્ટ્ર ગાન✔️ ✔️જન-ગન-મન  રવિન્દ્રનાથ ટાગોરની ગીતાજંલી બંગાળી કાવ્યસંગ્રહ માંથી      જેના 5 પદ છે જેનુ પ્રથમ પદ રાષ્ટ્રગાન તરીકે ગવાય છે ✔️અવધિ 52 સેકન્ડ  ✔️પ્રથમ અને અંતિમ પંકતિ માટે ની અવધિ 20 સેકન્ડ છે ✔️સોેપ્રથમ ૧૯૧૧માં રાષ્ટ્રીય ક્રોગ્રેંસના 27 મા કલકત્તા ના અધિવેશનમાં ગાવામાં આવ્યુ હતુ ✔️રાષ્ટ્રગીતનું સોેપ્રથમ પ્રકાશન 1912 માં તત્વબોધિની નામની પત્રિકામાં "ભારત ભાગ્ય વિધાતા " શીર્ષક હેઠળ થયુ હતુ 👉પદ્મગુપ્ત દ્વારા રચિત ‘નવસાદસાંક ચરિત’માં શેનું વર્ણન છે ? ✔️મુંજનું 👉પ્રખ્યાત ખજુરાહોના મંદિરનું નિર્માણ કોણે કરાવેલું છે ? ✔️ચન્દેંલ વંશ 👉ગુજરાતનો મધ્યકાલીન ઇતિહાસ કયા પુસ્તકમાંથી મળે છે ? ✔️પ્રબન્ધ ચિંતામણી 👉પ્રબન્ધ ચિંતામણીના લેખક કોણ હતા ? ✔️મેરુતંગ 👉“ચચનામા’ કયા રાજ્યના ઇતિહાસ પર પ્રકાશ પાડે છે ? ✔️સિધ 👉કાંચીના વૈકુંઠપેરુમલ મંદિર...

બંધારણ અનુચ્છેદ

  🔸 રાષ્ટ્રપતિ વટહુકમ👉123 🔸 રાજ્યપાલ  નો     👉213 🔹 સુપ્રીમ કોર્ટ 👉 124 🔹 હાઈકોર્ટ      👉214 🔹 સંસદ 👉 79 🔹 રાજયસભા 👉 80 🔹 લોકસભા 👉 81 🔹 સંસદ નું વિસર્જન 👉85 🔹 સંસદની સંયુક્ત બેઠક 👉 108 🔹 વિધાનમંડળ 👉168 🔹  વિધાનપરિષદ 👉 169 🔹 વિધાનસભા 👉170 🔹 રાજ્યપાલ 👉 153 🔹 રાજ્યપાલ નિમણુંક 👉 155 🔹એટર્ની જનરલ 👉 76 🔹 એડવોકેટ જનરલ👉 165 🔹 દયાની અરજી રાષ્ટ્રપતિ 👉 72 🔹 દયાની અરજી રાજ્યપાલ 👉 161 🔹 સંસદ માં વાપરવાની ભાષા 👉 120 🔹 વિધાનમંડળ માં વાપરવાની ભાષા 👉210 🔹 હાઇકોર્ટે ની રિટ 👉226 🔹સુપ્રીમ કોર્ટ રિટ👉32 DownloadPdf